
wahgujarat.com
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કટાક્ષભરી ટિપ્પણી આપતાં જણાવ્યું હતું કે સ્લમડોગ મિલિયોનેર ફિલ્મને ઓસ્કાર પુરસ્કાર મળ્યાનો જશ ખરેખર કોંગ્રેસને જાય છે. કોંગ્રેસે દાયકાઓ સુધી રાજ ના કર્યું હોત તો ફિલ્મમાં બતાવવા માટેનાં ઝૂંપડાં જ ના હોત.
મોદીએ જણાવ્યું હતું કે અભિનેતા પરેશ રાવલે તેમને તાજેતરમાં ફરતા થયેલા એક એસએમએસથી વાકેફ કર્યા હતા. ‘સ્લમડોગ મિલિયોનેર’ને ઓસ્કાર એવોર્ડ મળ્યાનું શ્રેય ભારતના શાસકપક્ષ કોંગ્રેસને મળવું જોઇએ, કારણ કે કોંગ્રેસના દાયકાઓના શાસન વિના ભારતમાં ઝૂંપડાં ના હોત.
આ ઝૂંપડાં હોવાના કારણે જ ફિલ્મ બની શકી, અને ફિલ્મ બની શકી તેથી જ ઓસ્કાર પુરસ્કાર મળ્યો. આ રીતે ઓસ્કારનું શ્રેય કોંગ્રેસને જ જવું જોઇએ. કોંગ્રેસના ખોટા કર્મોનું આ પરિણામ છે અને કોંગ્રેસનો આ ચમત્કાર છે.’
Get the Flash Player to see this player.
http://www.divyabhaskar.co.in/2009/03/04/0903040203_credit_of_slumdog_millionaire_should.html




