Tag Archive | "ajmera"

Tags: , ,

કોંગ્રેસને જ મત આપજો : નરેન્દ્ર મોદી અજમેર

Posted on 07 May 2009 by Narendramodi.tv

ajmera
આજે નરેન્દ્ર મોદીએ અજમેરમા ચુંટણી સભા સમ્બોધી હતી અને અજમેરના લોકોને તેઓએ પોતના આગવા અન્દાજમા લોકોને જણાવયુ હતુ કે તમે કોંગ્રેસને વોટ જરૂર આપજો અને તેઓએ આ નીવેદન મા એમ પણ જણાવ્યુ હતુ કે હુ નરેન્દ્ર મોદી કોંગ્રેસ માટે અજમેરમા આવી અને કોંગ્રેસને વોટ આપવા અજમેરના લોકોને સમજાવીશ અંને તેનો ચુંટણી પ્રચાર કરી આપીસ અને તેમા મને સંકોચ નહી થાય અને મને ભારતીય જનતા પાર્ટી ની આચારસહીંતા નહી લાગે અને મને તેમા કશો વાન્ધો પણ નથી અને રાષ્ટ્ર અને દેશની વાત સૌ પહેલા હોય અને નરેન્દ્ર મોદી તે માટે સાથે જ હોય

આ માટે તેઓએ કોંગ્રેસને કેટલાક કામ કરવાની યાદી આપી છે અને આ કામ કોંગ્રેસ કરે તો મોદી તેનો પ્રચાર કરશે

દેશની સુરક્ષા:
મોદીએ સુરક્ષાનો મુદ્દો ઉખેડતા કહ્યું કે કોંગ્રેસ સરકાર સંસદ પર હુમલો કરનાર અફઝલ ગુરૂને બુધવાર સવાર સુધીમાં ફાંસીએ ચડાવી દે તો તેઓ આ જગ્યાએ ફરી આવી કોંગ્રેસના પક્ષમાં વોટ આપવાની અપીલ કરવા તૈયાર છે.

દેશનો વીકાસ :
ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીએ અજમેરમાં એક ચૂંટણી સભામાં પોતાના આગવા અંદાજમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ મોદીના શ્વાસ ગણવાનું અને ભાજપનો પીછો કરવાનું છોડી દે તેમજ દેશને ગુમરાહ કરવાનું બંધ કરી પોતાના 60 વર્ષના શાસનનો જવાબ આપે.

દેશનો ભુતકાળ :
મોદીએ કહ્યું કે કોંગ્રેસે દેશની જનતાના 60 વર્ષ લીધા, બદલામાં શું આપ્યું ? દેશની સુરક્ષા અને વિકાસનું શું થયું ? દેશની દુર્દશા માટે પૂરી રીતે કોંગ્રેસ અને નેહરૂ પરિવાર જવાબદાર છે. જનતાએ તેમને ખૂબ સહન કર્યા છે. કોંગ્રેસના રાજમાં ખાવા-પીવાના ફાંફા પડી ગયા છે. હવે પૂરા દેશમાં પરિવર્તનની લહેર છે.

દેશવાશીઓનો વેશ્વાસ :
કોંગ્રેસના કપડાં ફાડવાના તમામ સવાલ જવાબ મોદી પાસે છે. અજમેરની જનતાએ બોલાવ્યો છે એટલા માટે મોદી આવ્યા છે. જ્યારે પ્રધાનમંત્રી મનમોહનસિંહ જોધપુરની સભામાં કહે છે કે તેમને સોનિયાજીએ મોકલ્યા છે એટલા માટે આવ્યા છે. આ મનમોહનસિંહની નબળાઇનું ઉદાહરણ નથી તો બીજું શું છે ? એમ મોદીએ કહ્યું હતું.

વોટ બેંકની રાજ્નીતી:
મોદીએ કહ્યું કે કોંગ્રેસની એસઆરપી(સોનિયા-રાહુલ-પ્રિયંકા) દેશભરમાં ફરીને કંધહાર પ્રકરણ પર આક્ષેપો લગાવી રહ્યા છે. તેઓ જવાબ આપે છે શું 159 લોકોને મરવા દેવાતા ?. કોંગ્રેસ જવાબ આપે કે કાશ્મીરમાં ચરારે શરીફમાં ઘુસેલા આતંકવાદીઓને સેફ પેકેઝ કેમ આપવામાં આવ્યું ? તેમને બિરીયાની કેમ પીરસવામાં આવી ? આંધ્રપ્રદેશમાં નક્સલવાદીઓના ટોચના 60 ત્રાસવાદીઓને કેમ સુરક્ષિત છોડવામાં આવ્યા ?

રોજગારીની વાતો :
મોદીએ ઉમેર્યું કે કોંગ્રેસે એક કરોડ બેરોજગારોને રાજગારી આપવાનો વાયદો કર્યો હતો. આજે કેન્દ્ર સરકાર કહી રહી છે કે દોઢ કરોડ લોકોની રોજગારી છીનવાઇ ગઇ છે અને હજી વધુ લોકોની રોજીરોટી છીનવવાની શક્યતા છે. મોદીએ કહ્યું કે દેશના યુવાઓને બેરોજગાર કરનારી દિલ્હીની સલ્તનત 16મી તારીખે ચૂંટણી પરિણામ આવવાની સાથે જ બેરોજગાર થઇ જશે.

Comments (0)

Advertise Here

Photos from our Flickr stream

See all photos

Advertise Here

Archives